પોરબંદરની નજીક ઝુપડામાં આગ : ૩ બાળકો ભડથું થયા

મજૂરના ત્રણ બાળકો ભડથું થતાં ભારે ખળભળાટ માતા-પિતા મજૂરી કામ માટે બહાર ગયા હતા ત્યારે આગ તા. ૧૪ પોરબંદર નજીક ઝુંપડામાં આગની ઘટનામાં ત્રણ માસુમ બાળકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આગની ઘટનામાં તપાસ થઇ રહી છે. પરંતુ આ ઘટનાથી તમામ લોકો હચમચી ઉઠ્યા છે. માતા-પિતા ઘરમાં ન હતા ત્યારે આ આ આગ લાગી હતી. પોરબંદરના હનુમાનગઢ ગામમાં ઝુપડામાં કોઇ કારણોસર આગ લાગતા પરપ્રાંતીય મજૂરના ત્રણ સંતાનો બળીને ભડથું થતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ છે. માતા-પિતા કામ માટે બહાર ગયા હોય ઝુપડામાં ત્રણ બાળકો જ હતા. … Continue reading પોરબંદરની નજીક ઝુપડામાં આગ : ૩ બાળકો ભડથું થયા